Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

મેં ફિલ્મોમાં કામ કરવા માટે પાઘડી ઉતારવાની ના પાડી : દિલજિત દોસાંજ

મુંબઇ:  પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝે કહ્યું હતું કે હિન્દી ફિલ્મોમાં આવ્યો ત્યારે મને એવી સલાહ આપવામાં આવી હતી કે તું તારી પાઘડી ઊતારી નાખવા તૈયાર હોય તો તને જોરદાર સફળતા મળશે.'હા, આ વાત સાચી છે કે મને પાઘડી ઊતારી નાખવાની સલાહ મળી હતી. પરંતુ પાઘડી અમારા પંજ (પાંચ અનિવાર્ય બાબતો)માં એક છે અને શીખોનું ગૌરવ છે. એટલે મેં પાઘડી ઊતારી નાખવાની સલાહ માની નહોતી. મેં અત્યાર સુધી પાઘડી પહેરીનેજ કામ કર્યું છે અને મને ધારી સફળતા પણ મળી છે' એમ દિલજિતે કહ્યું હતું.પંજાબના યુવાનોમાં પ્રવર્તતા ડ્રગના દૂષણને રજૂ કરતી કથા ધરાવતી ફિલ્મ ઊડતા પંજાબથી દિલજિતે હિન્દી ફિલ્મોમાં પરાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં મોખરાની અભિનેત્રી કરીના કપૂર એની હીરોઇન હતી. ત્યારબાદ એણે અનુષ્કા શર્માની ફિલ્લૌરી કરી હતી જે પંજાબની એક લગ્ન પરંપરાની કથા ધરાવતી હતી. આ બંને ફિલ્મો મધ્યમ સફળતાને વરી હતી.  છેલ્લે છેલ્લે એણે હૉકી લેજન્ડ સંદીપ સિંઘની બાયો-ફિલ્મ સૂરમા કરી હતી. એને સારો બિઝનેસ મળ્યો હતો. ત્રણે ફિલ્મોમાં એણે શીખોની પહેચાનના પ્રતીક સમી પાઘડી પહેરી રાખી હતી.

 

(5:28 pm IST)