Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

એ ઘટનાએ ખુબ દુઃખી કરી દીધો હતો અચરર ભારદ્વાજને

સમયસર ઇલાજ ન થાય તો માનસિક સમસ્યા ઘાતક સાબિત થઇ શકે છે. અભિનેતા અચરર ભારદ્વાજ એક સમયે જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો. તેણેકહ્યું હતું કે મને એક મોટી ફિલ્મમાં કામ મળ્યું હતું. મેં ત્રણ મહિના સુધી રિહર્સલ કર્યુ હતું અને ભરપુર તૈયારી કરી હતી. પરંતુ પછી મને અચાનક જણાવાયું હતું કે મારી જગ્યાએ સ્ટાર કિડને આ રોલ અપાઇ ગયો છે. આના કારણે ખુબ આઘાત લાગ્યો હતો. તેમાંથી બહાર નીકળવા બે મહિના લાગ્યા હતાં. આ સમગ્ર ઘટનાએ મને ખુબ દુઃખી કરી દીધો હતો. મને મારા અભિનેતા હોવાની વિશ્વસનિયતા પર પણ સવાલ થવા માંડ્યા હતાં. આત્મહીન લાગણીઓથી ઘેરાઇ ગયો હતો. હું કેટલાય દિવસ સુધી એક રૂમમાં પુરાઇ ગયો હતો. મારા મગજને બીજે વાળવા કલાકો સુધી ટીવી જોયા કરતો હતો. એ પછી હું સતત મારી જાતને કહેતો હતો કે હું એક સારો અભિનેતા છું. સ્વસ્થ ભોજન મને કામ એ સમયે કામ આવ્યું હતું. ધીમે ધીમે બધુ સારુ થતું ગયું હતું. માતા-પિતા સતત મને ટેકો આપતા હતાં. એ પછી મેં ફરીથી મારી જાતને સાબિત કરવા ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું. અચરર હાલમાં એ મેરે હમસફર શોમાં કામ કરી રહ્યો છે.

(10:11 am IST)