Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અજય દેવગણની ફિલ્મ મૈદાન ૨૭ નવેમ્બરે ‌રિલીઝ થશે

નવી દિલ્હી: આજે બોલીવુડના 'સિંઘમ' અજય દેવગણએ હિંદી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં 30 વર્ષ પુરા કરી લીધા છે. અવસર પર જ્યાં કાજોલ અને શાહરૂખે અજય દેવગણની 100 ફિલ્મોની સફર શેર કરી તો બીજી તરફ અજય દેવગણે ફેન્સ માટે એક મોટી સરપ્રાઇઝ સામે આવી ચૂકી છે. તમને જણાવી દઇએ કે અજય દેવગણની ફિલ્મ 'મૈદાન' ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

જી હાં અજય દેવગણની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'મૈદાન'ની રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે. ફૂટબોલ પ્લેયરની લાઇફ પર આધારિત પીરિયડ ડ્રામા 'મૈદાન' લાંબા સમયથી ચર્ચામાં હતી. પરંતુ હવે આખરે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ આગામી વર્ષે 27 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

એટલે મેકાર્સે રિલીઝના એક વર્ષ પહેલાં તેની તારીખ જાહેર અક્રીને ફેન્સને એક ભેટ આપી છે. અજય દેવગણની પ્રથમ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. થોડા દિવસો પહેલાં પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ પોસ્ટરમાં ફક્ત એક ફૂટબોલ જોવા મળી રહ્યો હતો.

સમાચારો અનુસાર ફિલ્મમાં 1952થી માંડીને 1962 સુધી સમયગાળો બતાવવામાં આવશે. ફિલ્મમાં અજય દેવગણ દિગ્ગજ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે સાઉથની અભિનેત્રી કીર્તિ સુરેશ પણ મુખ્ય ભૂમિકામાં છે. કીર્તિની બોલીવુડ ડેબ્યૂ છે. ફૂટબોલ પર આધારિત ફિલ્મને અમિત રવિંદ્વનાથ શર્મા નિર્દેશિત કરી રહ્યા છે. તો બીજી તરફ બોની કપૂર ફિલ્મના નિર્માતા છે.

(5:14 pm IST)