Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વાઢેર આશરા પરિવારના દિવંગતોને શ્રધ્‍ધાંજલી

શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા

રાજકોટઃ શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા તાજેતરમાં સ્‍વ. નિરૂબેન નરસીદાસ વાઢેરની વાર્ષિક તિથી (દિવસોનું જાગરણ અષાઢવદ અમાસ)ની વાર્ષિક તિથી નિમિતે તથા સ્‍વ. મધુકાન્‍તાબેન જયંતિલાલ આશરાની દ્વિતીય માસીક તિથિ નિમિતે સંતપુનિતના ભજનો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ કરી જૈશ્રી કૃષ્‍ણ બોલાવવાના પુનિત કાર્યક્રમનું આયોજન થયેલ. જેમાં જયશ્રીબેન તથા જયેશભાઇ નથવાણી, ભાવનાબેન રૂપારેલીયા (લંડન) જયપ્રકાશ બુધ્‍ધદેવ મહેન્‍દ્રભાઇ માંડલીયા, જશ્‍મીનાબેન પી.મોદી, કવિતાબેન નારૂલા (કેનેડા), રમેશભાઇ ખંધેડીયા (બેન્‍ક ઓડ બરોડા), જયશ્રીબેન જોબનપુત્રા, ભાવનાબેન સુરેશભાઇ કારેલીયા, (અમદાવાદ, ગુણવંતભાઇ ઠક્કર) જેન્‍તીભાઇ માંડલીયા, ભરતભાઇ ગોંડલીયા, ભકિતદાનભાઇ ગઢવી(લોકગાયક), જીતુભાઇ દવે (એડવોકેટ), ક્રિષ્‍નાબેન વિનોદભાઇ જોબનપુત્રા તથા ભરતભાઇ ગોલાણીયાનો સહયોગ પ્રાપ્ત થયેલ

(3:51 pm IST)