Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સત્ય ઘટના પર આધારિત ફિલ્મમાં અભિનય કરશે અર્જુન કપૂર

મુંબઇ:અજય દેવગણ અભિનીત રેઇડ ફિલ્મની સફળતા બાદ દિગ્દર્શક રાજ કુમાર ગુપ્તા આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયો છે. સાચી ઘટના પર આધારિત ફિલ્મ હશે. ફિલ્મ સાલ ૨૦૧૨ અને ૨૦૧૪ દરમિયાન ભારતમાં સરકારી જાસૂસના વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડના એક સિક્રેટ મિશન પર આધારિત હશે. અર્જુન કપૂર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે જાસૂસ અધિકારીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ દિલ્હી અને નેપાલમાં થાય તેવી શક્યતા છે. દિગ્દર્શકને શરૃઆતથી તે અંત સુધીના સતત શેડયુલમાં ફિલ્મનું શૂટિંગ કરવું છે. શૂટિંગમાં કોઇ પણ બ્રેક લીધા વિના શૂટિંગ કરવાની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ જુલાઇ પછી શરૃ થાય તેવી શક્યતા છે. હાલ અર્જુન કપૂર પોતાની ફિલ્મોના શૂટિંગ પતાવી રહ્યો છે. તેણે ફિલ્મની નેરેશન ફોન પર સાંભળી હતી અને તેને સ્ક્રિપ્ટ પસંદ પડતા તેણે ફિલ્મમાં કામ કરવાની ઓફર સ્વીકારી હોવાની ચર્ચા છે.

 

 

(4:44 pm IST)