Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ફિલ્મ દિલ બેચારાની રિલીઝ ડેટ આવી સામે: 29 નવેમ્બરે સિલ્વર સ્ક્રીન પણ નિહાળો

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતની આગામી ફિલ્મ દિલ બેચારાની રિલીઝ ડેટનો ખુલાસો થઈ ગયો છે. ફિલ્મ વર્ષના અંતે રિલીઝ થશે. ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર ૨૯ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મના એક સપ્તાહ પહેલાં અજય દેવગણ અભિનીત ફિલ્મ તાનાજી રિલીઝ થવાની છે. સુશાંતની ફિલ્મ સાથે તાનાજીની બોકસ ઓફિસ પર ટક્કર થવાની છે. સુશાંત સાથે લીડ રોલમાં સંજના સાંઘી જોવા મળવાની છે. ઉપરાંત ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં સૈફ અલી ખાન અને મિલિંદ સોમણ જોવા મળવાના છે. દિલ બેચારાનું અગાઉ શીર્ષક કિઝી મૈની રખાયું હતું. ફિલ્મ જોશ બોનીની હોલિવૂડ ફિલ્મની હિન્દી રિમેક છે જેનું દિગ્દર્શન મુકેશ છાબડાએ કર્યું છે.

(5:00 pm IST)