Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

છલાંગ... નુસરત ભરૂચાની રાજકુમાર રાવ સાથેની ફિલ્મનું નામ બદલાયું

અભિનેતા રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની ફિલ્મ તુર્રમ ખાન હવે નામથી રિલીઝ થશે. આ ફિલ્મનું નામ હવે 'છલાંગ' રખાયું છે. ૩૧મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આ ફિલ્મ આવશે. નિર્દેશક હંસલ મહેતાએ આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યાનું કહ્યું હતું. જો કે નામ બદલવાનું કારણ સામે આવ્યું નથી. તુર્રમ ખાન નામ બદલાયા પછીનું પોસ્ટર-ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. જેમાં રાજકુમાર સાથે નુસરત રોમાન્ટીક પોઝમાં જોવા મળે છે. બંને બાજુ-બાજુમાં બેસી ચા પીતા જોવા મળે છે. છલાંગ્ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. ઉત્તર પ્રદેશના નાનકડા શહેર પર આ ફિલ્મની કહાની આધારીત છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગણ, લવ રંજન અને અંકુર ગર્ગ સાથે મળીને કરી રહ્યા છે. રાજકુમાર રાવ અને નુસરત અગાઉ ૨૦૧૦માં લવ સેકસ ઓૈર ધોખામાં સાથે કામ કરી ચુકયા છે.

 

(5:43 pm IST)