Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પાણીપતમાં જોવા મળશે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે

મુંબઈ:આગેવાન ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરે પોતાની ઐતિહાસિક ફિલ્મ પાણીપત માટે વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેને સાઇન કરી હોવાની માહિતી મળી હતી.પાણીપત એક રીતે જુઓ તો મરાઠા તરીકે ઓળખાતી પ્રજાની બહાદૂરી અને મર્દાનગીની કથા છે. અત્યાર અગાઉ સિનિયર અભિનેતા સંજય દત્ત, અર્જુન કપૂર, કૃતિ સનેન, મોહનીશ બહલ વગેરે સાઇન થઇ ચૂક્યાં છે. હવે કથાના એક મહત્ત્વના પાત્ર ગોપિકા બાઇ માટે પદ્મિની કોલ્હાપુરેને સાઇન કરવામાં આવી હતી.વાઇ વિસ્તારના મરાઠા વીર ભીખાજી નાઇક રાસ્તેની પુત્રી ગોપિકા બાઇ નાના સાહેબ પેશવા સાથે પરણી હતી અને વીરાંગના હતી. બાળપણથી ખૂબ ધાર્મિક અને નિર્ભય હતી. એની ઇચ્છા હતી કે એનો પુત્ર વિશ્વાસ રાવ નાના સાહેબના વારસ તરીકે પેશવા બને.ફિલ્મની નિર્માત્રી અને આશુતોષની પત્ની સુનીતા ગોવારીકરે કહ્યું કે પદ્મિની અમારી પારિવારિક દોસ્ત છે અને ઉત્તમ અભિનેત્રી છે. ગોપિકા બાઇના રોલ માટે એકદમ પરફેક્ટ છે અને શરૃથી અમારા મનમાં ગોપિકા બાઇના પાત્ર માટે પદ્મિની હતી. એણે પ્રેમથી રોલ સ્વીકાર્યો છે અને રોલને ઉત્તમ ન્યાય આપશે એની અમને ખાતરી છે.

(6:15 pm IST)