Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

શ્રીદેવીના પાત્ર માટે રકુલપ્રિત સિંહનું નામ ફાઇનલ

તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન. ટી. રામારાવની બાયોપિક મામલે ખુબ ચર્ચા છે. તેમની જિંદગી પર બની રહેલી આ ફિલ્મનું શુટીંગ ચાલુ થઇ ગયું છે. બોલીવૂડના દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ પણ એન. ટી. રામારાવ સાથે ૧૪ ફિલ્મો કરી હતી. આથી તેમની બાયોપિકમાં શ્રીદેવીનો રોલ પણ અહમ ગણાય છે. ફિલ્મમાં આ રોલ માટે રકૂલપ્રિતસિંહનું નામ ફાઇનલ થઇ ગયું છે. પહેલા આ રોલ માટે સોનાક્ષી સિન્હા, શ્રધ્ધા કપૂર અને કંગના રનોૈતના નામની પણ ચર્ચા હતી. પણ હવે રકુલપ્રિત સિંહનું નામ નક્કી થઇ ગયું છે. આમ પણ રકુલ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતનો ચહેરો છે અને તેણે અનેક ફિલ્મો કરી છે. રકુલ આ ફિલ્મ સાથે જોડાઇ ગઇ છે. ત્યાંના દર્શકો આ ફિલ્મની ખુબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

(9:22 am IST)