Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સિધ્ધાર્થને હવે મરજાવાં પર આશા

સિધ્ધાર્થ મલ્હોત્રા, તારા સુતારીયા, રકુલપ્રિત સિંહ અને રિતેશ દેશમુખ અભિનીત ફિલ્મ મરજાવાંની રિલીઝ તારીખ બદલાઇ ગઇ છે. આ ફિલ્મ બાવસીમી નવેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ હવે આઠમી નવેમ્બરે રિલીઝ થશે. પોસ્ટરોમાં સિધ્ધાર્થ અને રિતેશના ખતરનાક લૂક જોવા મળ્યા છે. મિલાપ ઝવેરીના નિર્દેશનમાં બનેલી આ એકશન થ્રિલર ફિલ્મ પર સિધ્ધાર્થને ખુબ આશા છે. કેમ કે તેની પાછલી ફિલ્મોએ ખાસ કંઇ કમાલ દેખાડી નથી. છેલ્લે પરિણીતી સાથેની જબ્બરયા જોડી પણ અસફળ રહી હતી. પહેલા જોન અબ્રાહમની પાગલપંતિ  આઠમી નવેમ્બરે આવવાની હતી. પરંતુ જોનએ સિધ્ધાર્થ સાથે ટક્કર ટાળવા તારીખ બદલીને બાવીસ નવેમ્બર કરી નાંખતાં સિધ્ધાર્થની ફિલ્મને આઠમી તારીખ મળી ગઇ હતી. જોનના આ નિર્ણયથી નિર્દેશક મિલાપને પણ ખુશી થઇ હતી અને તેણે તેનો આભાર માન્યો હતો.

(9:49 am IST)