Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કંગના રાણાવતની 'મણિકર્ણિકા'ના નિર્માતા થયા બરતરફ: ફિલ્મ પૂરી થશે કે નહીં ? ઉઠ્યા સવાલ

કંગના રણૌત અભિનીત ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' ફિલ્મ નવી મુસીબતમાં મૂકાઈ ગઈ છે. અભિનેતા સોનુ સૂદ ફિલ્મમાંથી ખસી જતા અનેક દ્રશ્યોનું ફરી શૂટિંગ કરવાની જરૂર હોવાથી ફિલ્મનું બજેટ રૂ. 70 કરોડથી વધીને રૂ. 100 કરોડનું થયું છે. ઝી સ્ટુડિયોઝના બિઝનેસ વિભાગના વડા સુજય કટ્ટીએ બજેટ માટે હા પાડતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે. ફિલ્મ પૂરી થશે કે નહીં તેના પર સવાલ છે.

(9:33 pm IST)