Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અજય દેવગણ-રણબીર કપૂરની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર

મુંબઈ:સોનુ કે ટીટુ કી સ્વીટી ફેમ ડાયરેક્ટર લવ રંજનની આગામી ફિલ્મની રિલિઝ ડેટ સોમવારે સાંજે જાહેર કરાઇ હતી. ૨૦૧૦માં પ્રકાશ ઝાની રાજનીતિમાં ચમક્યા પછી ફરી એકવાર સિનિયર અભિનેતા અજય દેવગણ અને ટોચનો અભિનેતા રણબીર કપૂર આ ફિલ્મમાં સાથે દેખાશે એેવી જાણકારી મળી હતી. આ ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી નથી. અજય અને રણબીર સિવાયની સ્ટારકાસ્ટ વિશે પણ સ્પષ્ટતા કરાઇ નથી. સ્ટોરીલાઇન અંગે પણ લવ રંજને હોઠ સીવેલા રાખ્યા છે. જો કે બંને  મુખ્ય કલાકારો ફરી એકવાર સાથે કામ કરવાના મુદ્દે ઉત્તેજિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આવતા વરસે ફ્લોર પર જવાની છે. હાલ રણબીર પાસે સમય નથી. એ એક તરફ કરણ જોહરની સૂચિત ટ્રિલોજીની પહેલી કડી સમાન બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે તો બીજી તરફ એણે યશ રાજની શમશેરા સાઇન કરી છે. આમ એ અત્યારે બીઝી છે. એ જ રીતે અજય દેવગણ પહેલાં હાઉસફૂલ ફોર પૂરી કરશે અને ત્યારબાદ નવી ફિલ્મ શરૃ કરશે એટલે અત્યારે તો આ ફિલ્મ વિશે એક પ્રકારનું રહસ્ય સર્જાયું છે. લવ રંજને જાહેર કર્યા મુજબ આ ફિલ્મ ૨૦૨૦ના ડિસેંબરની ૨૫મીએ ક્રિસમસ પર રજૂ થશે.  અત્યાર અગાઉ લવ રંજને પ્યારકા પંચનામા અને એની સિક્વલ પ્યાર કા પંચનામા ટુ કરી હતી. એની છેલ્લી ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી સાવ નવા કલાકારો હોવા છતાં બોક્સ ઑફિસ પર હિટ સાબિત થઇ હતી.

(5:15 pm IST)