Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

'સંજુ'માં મારી નાનકડી ભૂમિકા છે: મનીષા કોઈરાલા

મુંબઇ:  કેન્સર જેવા ડરામણા રોગ સામે લડીને પાછી ફરેલી અભિનેત્રી મનીષા કોઇરાલાએ કહ્યું હતું કે સંજય દત્તની બાયો-ફિલ્મમાં મારો રેાલ ખરેખર તો મહેમાન કલાકાર જેવો છે. રાજકુમાર હીરાણી નિર્દેશિત આ ફિલ્મ સંજુમાં ટોચના કલાકાર રણબીર કપૂરે સંજય દત્તનો રોલ કર્યો છે. એના માતાપિતા તરીકે મનીષા કોઇરાલા નર્ગિસ દત્તના રોલમાં અને પરેશ રાવલ સુનીલ દત્તના રોલમાં છે. ફિલ્મ પૂરી થઇ ચૂકી છે અને રજૂઆતને આરે છે. ફિલ્મ જોનારા સૌ કોઇએ આ ફિલ્મને બિરદાવી છે. મનીષા કોઇરાલાએ કહ્યું કે મને નર્ગિસ દત્તનો રોલ ઑફર કરવામાં આવ્યો ત્યારે હું ઉત્તેજિત થઇ ગઇ હતી. નર્ગિસ દત્ત એક લિજેંડરી કલાકાર હતા અને દુનિયાભરમાં એમની કલાકાર તરીકેની ખ્યાતિ છે. મને આ રોલ કરવા મળે એ મારા માટે ગૌરવની વાત હતી. ભલે રોલ નાનકડો છે, મહેમાન કલાકાર જેવો છે. પરંતુ નર્ગિસ દત્તનો રોલ કરવા મળે એ કોઇ પણ અભિનેત્રી માટે ડ્રીમ રોલ જેવું ગણાય. મને આ રોલ કરવા મળ્યો એને હું મારું સદ્ભાગ્ય સમજું છું.
 

(4:53 pm IST)