Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

જાણો ક્યારે રિલીઝ થશે વિવાદિત ફિલ્મ 'પધ્માવતી'

મુંબઈ: પદ્માવતી ના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. છેલ્લા કેટલાક મહિનાથીપદ્માવતીને લઈને કરણી સેના વિરોધ કરી રહી છે. જેના કારણે ફિલ્મ ૧ ડિસેમ્બરે રિલીઝ થઇ શકી નહિ પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટને લઈને એક ખબર સામે આવી છે. જી હાં, ફિલ્મની રિલીઝ ડેટ લગભગ નક્કી જેવી જ છે અને બહુ જલ્દી આ ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ થશે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મ જાન્યુઆરી મહિનામાં નહિ પરંતુ ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થશે. ૯ ફેબ્રુઆરીએ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી છે. ફિલ્મનું બીજી ટ્રેલર જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે જેથી વિરોધીઓનો ગુસ્સો ઘણી હદ સુધી ઓછો કરી શકાશે. પ્રાપ્ત માહિતી મુજબ, બીજા ટ્રેલરમાં ફ્ક્ત્ત શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણ પર જ ફોકસ કરવામાં આવશે.સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મ પદ્માવતીના કેટલાક સીનને લઈને વિવાદ થઇ રહ્યો છે. ફિલ્મને લઈને થઇ રહેલ વિવાદ વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એકજૂથ થઇ ગઈ છે. ઇન્ડિયન ફિલ્મ અને ડિરેક્ટર્સ એસોસિએશને સંજય લીલા ભણસાલીની સાથે ઉભા રહેવાનો નિર્ણય લીધો છે. ફિલ્મમાં અલાઉદ્દીન ખીલજી અને રાણી પદ્માવતી વચ્ચે વિવાદિત દ્રશ્યો બતાવવામાં આવ્યા છે તેના કારણે ઘણા સમૂહો તેનો વિરોધ કરી રહ્યા છે.

 

(6:29 pm IST)