Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

‘કાલભૈરવ રહસ્‍ય-૨' શોમાંથી રાહિલ આઝમ હટી ગયો

ટીવી અભિનેતા રાહિલ આઝમ સ્‍ટાર ભારતના શો ‘કાલભૈરવ રહસ્‍ય-૨'માંથી બહાર થઇ ગયો છે. નિર્માતાએ રાહિલને બદલે બીજા કોઇ કલાકારને લેવાની તૈયારી શરૂ કરી છે. રાહિલને આ વિશે પુછવામાં આવતાં તેણે કહ્યું હતું કે હું કાલભૈરવ રહસ્‍ય-૨ સાથે જોડાયેલો હતો. પરંતુ કમનસિબે તારીખોની સમસ્‍યા ઉભી થતાં હું આ શોમાંથી હટી ગયો છું. હું આ શોની સમગ્ર ટીમને શુભેચ્‍છા પાઠવું છું કે પહેલા સિઝનની જેમ જ સફળતા મળે. રાહિલ આઝમને સ્‍ટાર પ્‍લસની સિરીયલ હાતિમ થકી ખુબ નામના મળી હતી. આ ઉપરાંત તેણે કલર્સના શો તુ આશિકીમાં જેડીનું પાત્ર ભજવીને પણ વાહ-વાહ મેળવી હતી. ૨૫ સપ્‍ટેમ્‍બરે બેંગ્‍લોરમાં જન્‍ેમલા રાહિલે પ્રારંભે મોડેલિંગ કર્યુ હતું. તે સોફટવેર એન્‍જિનીયર પણ છે. એક ટૂકડા ચાંદ કા નામના શોથી તેણે કારદિર્કી શરૂ કરી હતી.

(10:15 am IST)