Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ચાર્મીના પાત્રથી અદિતીનું કમબેક

આપ કી નઝરો ને સમજા ટીવી શોએ તાજેતરમાં ૧૦૦ એપિસોડ પુરા કરી લીધા હતાં. સ્ટાર પ્લસના આ શોના નિર્માતા દર્શકોને સતત શો સાથે જકડી રાખી મનોરંજન આપવા કહાનીમાં સતત ચોંકાવનારા વળાંકો આપતાં રહે છે. હવે અત્યાર સુધી કહાની મુખ્ય ત્રણ પાત્રો  દર્શ (વિજયેન્દ્ર કુમેરિયા) અને નંદિની (રિચા રાઠોડ) તેમજ રાજવી રાવલ (નારાયણી શાસ્ત્રી)નાં પાત્રો પર કેન્દ્રિત હતી, પણ હવે અન્ય પાત્રોને પર પણ મોટા કરવામાં આવશે અને તેમના ટ્રેક પણ ખાસ બની જશે. જેમાં હવે ચાર્મી નામના એક પાત્રનો પણ ઉમેરો થયો છે. ચાર્મી આ શોમાં દર્શના ભાઈ શોભિત (અભિષેક વર્મા)ની ભૂતપૂર્વ પ્રેમિકા છે. ચાર્મી તરીકે પહેલાં કૃત્તિકા સિંહ યાદવ જોવા મળી હતી, પણ હવે તેની જગ્યાએ આ રોલ અદિતિ રાઠોડ નીભાવી રહી છે. અદિતિ રાઠોડ 'એક દૂજે કે વાસ્તે', 'કુમકુમ ભાગ્ય', 'નામકરણ' જેવા ટીવી-શો માટે જાણીતી છે અને આપકી નઝરોં ને સમઝા શોથી તેણે ત્રણ વર્ષ બાદ કમબેક કર્યુ છે. કરવાની છે. રાવલ પરિવારને એમ છે કે ચાર્મી મૃત્યુ પામી છે, પણ હકીકતમાં ચાર્મી એટલો સમય રાવલ પરિવારને બરબાદ કરવાનું કાવતરું ઘડી રહી હતી!

(10:17 am IST)