Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ફરી રોકીના રોલમાં અંશમુન પુષ્કર

અભિનેતા અંશુમન પુરષ્કર વેબ સિરીઝ જમતારામાં રોકીના રોલથી જાણીતો બન્યો છે. સાઇબર ક્રાઇમનું હબ ગણાતા ઝારખંડના શહેર 'જમતારા' પર આધારિત નેટફિલકસની વેબ-સિરીઝ 'જમતારા-સબકા નંબર આએગા'ની બીજી સીઝન આવવાની છે. આ શોમાં પણ અંશુમત ફરીથી રોકીના રોલમાં દેખાશે. સાથે અમિત સિયાલ, દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, અક્ષા પરદાસાની, અંશુમન પુષ્કર સહિતના કલાકારો મહત્વના રોલમાં છે. અંશમુને કહ્યું હતું કે મેં ૨૦૧૭માં જમતારા માટે ઓડિશન આપ્યું હતું, પણ એને રિલીઝ થતા ત્રણ વર્ષ લાગ્યાં હતાં. એ વર્ષો મારા માટે અઘરાં રહ્યાં હતાં. સારું થયું મેં એ સમયમાં મેં કંટાળીને મારી લાઇન બદલી નહોતી. અંતે ગયા વર્ષે જમતારા રિલીઝ થઈ અને મારા માટે રસ્તા ખુલી ગયા. હવે બીજી સિઝન આવવાની તૈયારીમાં છે. મને અમિત સિઆલે ખુબ સહકાર આપ્યો હતો. અંશુમન પુષ્કરે 'જમતારા' ઉપરાંત 'ગ્રહણ', 'કાઠમાંડુ કનેકશન' જેવી વેબ-સિરીઝ પણ કરી છે. 'ગેંગ્સ ઓૅફ વાસેપુર' ફેઇમ હરીશ ખન્ના પણ બીજી સીઝનમાં જોવા મળશે.

(10:18 am IST)