Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં કાર્તિક અને નાયરાના પુત્ર કાયરવનો રોલ પ્લે કરતા શૌર્ય શાહે શોને અલવિદા કહી દીધુ

મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી સ્ટાર પ્લસ પર યે રિશ્તા ક્યા કહેલાતા હૈને સારી એવી સફળતા મળી રહી છે. જનરેશન લેપ પછી આ સિરિયલની ટીઆરપીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જોકે આ વાતાવરણમાં સિરિયલમાં એક અણધાર્યો ટ્વિસ્ટ પણ આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે કાર્તિક અને નાયરાના દીકરા કાયરવનો રોલ પ્લે કરી રહેલા શૌર્ય શાહે શોને અલવિદા કહી દીધું છે. રિપોર્ટ પ્રમાણે શૌર્યની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ છે, જેના કારણે તેણે શો છોડી દીધો છે. શૌર્યએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફેરવેલ પોસ્ટ કરતાં બધાનો આભાર માન્યો છે.

શૌર્યએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘આજની સૌથી અઘરી ક્ષણ યે રિશ્તા…ની ટીમને ગુડબાય કહેવું તે છે. શોની ટીમે મને ખૂબ પ્રેમ અને સપોર્ટ આપ્યો. મારું ધ્યાન પણ રાખ્યું. હું તમારા બધાનો આભાર માનું છું. હું મારા ફેન્સનો પણ આભાર માનું છું, જેમણે કાયરવ તરીકે મને આટલો પ્રેમ આપ્યો. જય સર મારા પર વિશ્વાસ કરવા માટે આભાર. નાયરા દીદી તમે હંમેશા મારા ફેવરિટ રહેશો અને હું તમને મિસ કરીશ’.

શોમાં થોડા દિવસ પહેલા જ પાંચ વર્ષનો લીપ બતાવવામાં આવ્યો. જેમાં શૌર્ય શાહની નાયરા અને કાર્તિકના દીકરા તરીકે એન્ટ્રી થઈ. લીપ બાદ બતાવવામાં આવ્યું કે કાર્તિક અને નાયરા એકબીજાથી અલગ થઈ ગયા છે. કાયરવ પોતાની માતા નાયરા સાથે રહે છે. દર્શકોને પણ કાયરવ ખૂબ પસંદ આવી રહ્યો છે.

(4:25 pm IST)