Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

રામ-લખનની રીમેકમાં સુભાષ ઘાઈ આ કલાકરોને જોવા માગે છે

મુંબઈ:નિર્માતા સુભાષ ઘાઇને રામ લખન ફિલ્મની રિમેક માટે રણબીર કપૂર અને વરુણ ધવન યોગ્ય લાગી રહ્યા છે. પહેલા એવી વાત હતી કે આ ફિલ્મનું દિગ્દર્શન રોહિત શેટ્ટી કરશે જોકે હજી વાત આગળ વધતી જ નથી.રોહિત શેટ્ટીના પ્રમાણે આજે કોઇ પણ હીરો જલદીથી બે હીરોવાળી ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરતો નથી.  તેઓ આ ફિલ્મમાં કામ કરવાને અસુરક્ષા અનુભવે છે. સુભાષ ઘાઇનું કહેવું છે કે રામના પાત્ર માટે આજનો કોઇ કલાકાર રાજી થતો નથી. દરેક અભિનેતા સર્વશ્રેષ્ઠ ઇચ્છતો હોય છે. આ ઉપરાંત મૂળ ફિલ્મ ્કરતાં રિમેક વધુ સારી બને તેવા પ્રયાસ હોય છે. કરણ જોહર અને રોહિત્ શેટ્ટી જવાબદાર વ્યક્તિ છે અને આજે ટોચના દિગ્દર્શકોમાં તેમની ગણના થાય છે. ઘણા સમય પહેલા પણ રામ લખન ફિલ્મની રિમેકની ચર્ચા હતી જે હજી પણ આગળ વધી નથી.

 

 

(3:42 pm IST)