Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

સોનમ કપૂરના લગ્ન પછી હવે મને પણ લગ્ન કરવા છે: આલિયા ભટ્ટ

મુંબઈ:બોલીવુડમાં અત્યારે અભિનેત્રી સોનમ કપુરના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સોનમ કપુરના લગ્ન કાર્યક્રમમાં આલિયા ભટ્ટ પણ જોડાઈ હતી. પોતાની આગામી ફિલ્મ રાઝીના પ્રમોશનમાં જોરશોરથી લાગેલ આલિયા ભટ્ટે જણાવ્યુ હતું કે સોનમના લગ્નને લઈ તે ખૂબ ખુશ છે. તેમજ ખાસ વાત છે કે સોનમના લગ્નને જોયા બાદ મારો પણ આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે હું પણ લગ્ન કરી શકું છું. 

 

આલિયાએ જણાવ્યુ હતુ કે અનુષ્કા શર્મા, કરીના કપુર અને હવે સોનમ કપુર લગ્ન બાદ પોતાના શાનદાર કરીયરને આગળ વધારી રહ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે એક કલાકાર લગ્ન બાદ પણ પોતાની કારકિર્દીને આગળ વધારી શકે છે. જેથી લગ્ન સાથે કારકિર્દી ખતમ થવાનો મારો ડર દૂર થયો છે. જેથી હું પણ હવે લગ્નનુ વિચારી શકું છું. 
આલિયાએ જણાવ્યુ હતું કે હું ક્યારે લગ્ન કરીશ અને કોની સાથે કરીશ તેની મને ખબર નથી. પરંતુ સોનમ કપુરના લગ્ન જોયા બાદ હવે લગ્ન કરી શકું તેવી હિમ્મત મારામાં ચોક્કસ આવી છે. જેથી જો હવે લગ્ન કરવાનુ થશે તો હું ડર્યા વિના લગ્ન કરી શકીશ. કરીના કપુર, અનુષ્કા શર્મા અને સોનમ કપુરે એક આદર્શ સ્થાપિત કર્યો છે.

(3:39 pm IST)