Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રિતેશ દેશમુખે શરૂ કર્યુ નવી ફિલ્મનું કામ

બોલીવૂડનો સિંઘમ અજય દેવગણ ફિલ્મમાં અભિનય કરવાની સાથે ફિલ્મોનું નિર્માણ પણ કરી રહ્યો છે. તેના નિર્માણ હેઠળ હવે છત્રપતિ શિવાજી મહારાજ પર એક ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનું કામ શરૂ થઇ ગયું છે. અજય દેવગણ હાલમાં પોતાની આવનારી ફિલ્મ તાનાજી-ધ અનસંગ વોરિયરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અજયએ તાનાજી માલસુરેનો રોલ નિભાવ્યો છે. તાનાજી પર ફિલ્મ બનવાની શરૂઆત થઇ ત્યારથી જ છત્રપતિ શિવાજી મહારાજના જીવન પરથી ફિલ્મ બનાવવાની ચર્ચા શરૂ થઇ હતી. હવે આ બાયોપિકનું કામ શરૂ થઇ ગયું છે. અજયને જ્યારે પુછાયુ કે શિવાજી મહારાજના રોલ માટે કોને પસંદ કર્યા છે? ત્યારે તેણે તુરત જ રિતેશ દેશમુખનું નામ લીધું હતું. અજયએ જો કે વધુ વિગતો આ ફિલ્મ વિશે જણાવી હતી. તાનાજી ફિલ્મમાં પણ શિવાજી મહારાજની ભુમિકા છે. આ રોલ શરદ કેલકરે નિભાવ્યો છે. અજય સાથે  ફિલ્મમાં તેની પત્નિ કાજોલ પણ છે. આ ફિલ્મ દસમી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

(10:00 am IST)