Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

શાહિદ કપૂર -રાજપૂત લગ્નની પાંચમી એનિવર્સરીની ઉજવણી કરી

મીરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે : મીરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું, ૫ વર્ષ, ૪ આત્મા, ૩ ઘર, ૨ બાળકો અને એક સુંદર પરિવાર

મુંબઈ, તા. ૦૮ : શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોેડી બોલીવૂડની સુંદર જોેડીઓમાંથી એક છે. આ કપલ મંગળવારે પોતાના લગ્નની પાંચમી એનીવર્સરી ઉજવી હતી ત્યારે આ ખાસ દિવસ પર મીરાએ તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી.

મીરાએ આ પોસ્ટમાં લખ્યું, '૫ વર્ષ, ૪ આત્મા, ૩ ઘર, ૨ બાળકો અને એક સુંદર પરિવાર. તમારા સિવાય બીજા કોઈની સાથે જીવન વિતાવવાનું વિચારી ન શકું. હું આ દુનિયાની સૌથી નસીબદાર યુવતી છું. આભાર, મારી તાકાત બનવા માટે, મને સાથ આપવા માટે,તમે મને જેમ હસાવો છો તેમ બીજું કોઈ હસાવી ન શકે. પણ હા, બે વાત હંમેશા યાદ રાખજોે. એક કે હંમેશા પત્ની જ સાચી હોય છે. અને પેલા ત્રણ સુવર્ણ શબ્દો - આઈ એમ સોરી !

શાહિદ અને મીરાને મિશા અને ઝેન નામના બે બાળકો છે. શાહિદ કરતા વધુ મીરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે અને તેના પરિવારના ફોટો શેર કરતી રહે છે.

(7:47 pm IST)