Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

અંગત પ્રશ્નોએ ખુબ મુંજવ્યો હતોઃ અર્જુન

અર્જુન રામપાલ હાલમાં વેબસિરીઝ ધ ફાઇનલ કોલને કારણે ચર્ચામાં છે. આ સિરીઝમાં તે એક ડિપ્રેશનમાં હોય તેવા પાયલોટનો રોલ નિભાવી રહ્યો છે. તે એવો પાયલોટ છે જે સ્યુસાઇડ મિશન પર નીકળે છે. અર્જુન કહે છે તમે ઉપર આકાશમાં હોવ ત્યારે ઘણી વાર એકલતા અનુભવો છે. ફિલ્મોમાં હમેંશા પાયલોટની જિંદગીને રોમાન્ટીક રીતે બતાવવામાં આવી છે. પણ અમે આ સિરીઝમાં એવું બતાવ્યું છે જે ફિલ્મોમાં નથી હોતું. અર્જુન પોતાની અસલી જિંદગીમાં પણ ટેન્શનમાંથી પસાર થઇ રહ્યો છે. મા ગુમાવ્યા પછી પત્નિથી પણ અલગ થયો છે. ૪૬ વર્ષનો અર્જુન કહે છે મારા અંગત પ્રશ્નોને કારણે મારા કામ ઉપર પણ પ્રભાવ પડ્યો છે. હું મારા પ્રોજેકટ પર ધ્યાન આપી શકતો નહોતો. ખુબ મુંજાયો હતો. પણ હવે કમબેક કર્યુ છે. અર્જુન વેબ સિરીઝ ઉપરાંત એક એકશન થ્રિલર ફિલ્મ પણ કરી રહ્યો છે. વેબ સિરીઝમાં કામ કરવાનો અનુભવ ખુબ સારો રહ્યો છે.

(9:31 am IST)