Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

એ કામ પડકારજનક હતું: અનેરી વજાણી

ટીવી પરદે અનેક શો થકી જાણીતી બનેલી અભિનેત્રી અનેરી વજાણી કહે છે હું કદી હાર માનવાનું પસંદ કરતી નથી. મારો જે પ્રકારનો એટિટયુડ છે તેને કારણે લોકો મને હમેંશા યાદ રાખે એવી મારી ઇચ્‍છા છે. અનેરીનો જન્‍મ ગુજરાતી પરિવારમાં થયો છે. તેણે ટીવી પરદે ૨૦૧૨માં  કાલી - એક પુનરાવતાર' દ્વારા અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ત્‍યાર બાદ તેણે ઘણી સિરિયલમાં કામ કર્યું છે. જોકે કુશાલ ટંડન અને જેનિફર વિન્‍ગેટ સાથેની બેહદ'માં કામ કર્યા બાદ તેને ઘણી લોકપ્રિયતા મળી છે. તેણે સિલસિલા બદલતે રિશ્‍તોં કા સીઝન ૨', ‘પવિત્ર ભાગ્‍ય', ‘અનુપમા' અને ખતરોં કે ખિલાડી સીઝન ૧૨'માં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેલુગુ ફિલ્‍મ અને મ્‍યુઝિક વિડિયોમાં પણ કામ કર્યું છે. અનેરી સત્તર વર્ષની હતી ત્‍યારે ત્રણથી પાંચ વર્ષના સિત્તેર બાળકોને ડાન્‍સ શીખવવાનું કામ કર્યુ હતું. તે કહે છે માર માટે અત્‍યાર સુધીનું પડકારજનક કામ રહ્યું હોય તે ખતરો કે ખિલાડી શો છે.

(11:32 am IST)