Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

દિલીપ કુમારને ખૂબ નબળાઈ અને ઈમ્યુનિટી ઘટી રહી છે

સાયરા બાનુંએ દિલિપ કુમારના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી : ૫૪ વર્ષના લગ્ન જીવનમાં દરેક પળે સાથે રહેલાં પત્નીની કલાકારના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ

મુંબઇ, તા. : સાયરા બાનો અને દિલીપ કુમારને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રેમ મળ્યો છે. સાથે તેઓ દેશના લાખો ફેન્સના દિલો પર રાજ કરે છે. દિલીપ કુમારે વર્ષ ૧૯૬૬માં સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને ૫૪ વર્ષ થઇ ગયા છે.

સાયરા બાનો હંમેશા દિલીપ કુમારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. તે દરેક મુશ્કેલીમાં તેની સાથે રહે છે. આવામાં સાયરા બાનોએ એક ઇન્ટરવ્યૂમાં દિલીપ કુમારના સ્વાસ્થ્યને લઇને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દિલીપ કુમારમાં ઘણી નબળાઈ આવી ગઈ છે. તેમની ઈમ્યુનિટી ઓછી થઈ ગઈ છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો.

એક અખબાર સાથેની સાયરા બાનોએ કહ્યું કે, તેમને ઠીક નથી. ઘણી નબળાઈ આવી ગઈ છે. ક્યારેક ક્યારેક ચાલીને હૉલમાં જાય છે અને પછી રૂમમાં પાછા આવી જાય છે. તેમની ઈમ્યુનિટી ઓછી થઈ ગઈ છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. અમે રોજ નવા દિવસ માટે ભગવાનના આભારી છીએ. સાયરા બાનોએ કહ્યું કે, હું દબાણમાં નહીં, પરંતુ પ્રેમથી દિલીપ સાહેબનું ધ્યાન રાખું છું. મારે વખાણ નથી જોઇતાં. તેમનો સ્પર્શ કરવો અને સાથે રહેવું મારી માટે સૌથી સારી વસ્તુ છે. હું તેમને પ્રેમ કરું છું અને તેઓ મારા શ્વાસ છે.

સાયરા બાનોએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, ૧૧ ઓક્ટોબર અમારા જીવનની સૌથી ખાસ ક્ષણ હતા. દિલીપ સાહેબે દિવસે મારી સાથે લગ્ન કર્યાં હતાં અને મારા સપનાને સાકાર કર્યાં હતાં. વર્ષે અમે ઉજવણી કરી નહીં. કેમ કે અમારા બે ભાઈઓ અહેસાનભાઈ તથા અસલમભાઈ અમારી વચ્ચે નથી.

(7:20 pm IST)