Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

પીઢ અભિનેતા રવિ પટવર્ધનનું હાર્ટએટેકથી નિધન

મુંબઈ,તા. ૭: પીઢ અભિનેતા રવિ પટવર્ધનને હાર્ટ એટેક આવતા શનિવારે તેમનું નિધન થયું હોવાના સમાચાર તેમના દીકરા નિરંજન પટવર્ધને આપ્યા હતા. ૮૪ વર્ષીય રવિ પટવર્ધન મરાઠી શો 'અગબાઇ સાસુબાઇ'તેમ જ 'તેઝાબ'અને 'અંકુશ'જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરવા બદલ જાણીતા થયા હતા. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેમની ચાર દાયકા લાંબી કારકિર્દી છે. રવિ પટવર્ધનને શ્રાસ લેવામાં તકલીફ થતા તેમને થાણેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે, શનિવારની રાત્રે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હતું. થાણેમાં જ રવિ પટવર્ધનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રવિ પટવર્ધને કેટલાક નાટકો અને આશરે ૨૦૦ ફિલ્મોમાં કામ કર્યું છે.

(9:40 am IST)