Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

તેણે મને મઠાર્યો છેઃ રણવીરસિંહ

રણવીર સિંહને બોલીવૂડમાં આવ્‍યાને બાર વર્ષ થઇ ગયા છે. તેની બેન્‍ડ બાજા બારાત ૨૦૧૦માં આવી હતી. ઉર્જાથી સતત ભરેલો રહેતો રણવીર કહે છે હું મારી પહેલી ફિલ્‍મથી સંતુષ્‍ટ નહોતો. દિગ્‍દર્શક મનિષ સાથે બેસીને તેણે ફિલ્‍મ જોઇ પછી મનિષે ફિલ્‍મ કેવી લાગી? એમ પુછતાં તેણે કહેલુ કે આ મારા ટાઇપની નથી. જો કે તેને આ ફિલ્‍મે બેસ્‍ટ ડેબ્‍યુનો એવોર્ડ અપાવ્‍યો હતો. રણવીર સિંહે પછી લેડીઝ વર્સેસ રિક્કી બહેલ, રામ લીલા, બાજીરાવ મસ્‍તાની, પદ્માવત, દિલ ધડકને દો, ૮૩ સહિતની ફિલ્‍મો કરી છે. જેમાંની કેટલીક બોક્‍સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. પરંતુ આ દરેક ફિલ્‍મમાં રણવીરના અભિનયના ખુબ વખાણ થયા છે. એક તબક્કે રણવીર માત્ર કામ જ કર્યા કરતો હતો. લગ્ન પછી તે બદલાયો છે. તે કહે છે હવે હું પત્‍નિ, મિત્રો, કુટુંબીઓ સાથે સમય વિતાવુ છું. દિપીકાએ મને મઠાર્યો છે, તે ડગલે ને પગલે માર્ગદર્શન આપે છે. તે માત્ર મારા ગુણો નહિ અવગુણો પણ જોવે છે અને મને સુધારવાનો પ્રયાસ કરે છે.

(10:41 am IST)