Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

છત્રપતિ શિવાજીની પ્રતિમા સાથેનો ફોટો શેયર કરવો રિતેશ દેશમુખને પડ્યો ભારે: માગવી પડી માફી

મુંબઈ: અભિનેતા રિતેશ દેશમુખ એક સાવ ભળતા કારણસર સોશ્યલ મિડિયા પર સંખ્યાબંધ લોકોના રોષનો શિકાર બન્યો હોવાની જાણકારી મળી હતી. બન્યું એવું કે તાજેતરમાં રિતેશે રાયગઢ જિલ્લામાં આવેલા રાયગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી. અહીં મરાઠા રાજવી અને પહેલીવાર હિન્દુ સામ્રાજ્યની કલ્પના કરનારા વીર રાજવી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપવામાં આવી છે. કોંગ્રેસી નેતા અને મહારાષ્ટ્રના સદ્ગત મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખનો પુત્ર હોવાની તુમાખીમાં રિતેશે શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો એક ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો. એ સાથે હજ્જારો લોકો એના પર તૂટી પડયા હતા. લોકોનો મિજાજ જોઇને પવન પારખી ગયેલા રિતેશે તરત જાહેરમાં માફી માગી લીધી હતી અને જણાવ્યું હતું કે હું રાયગઢના કિલ્લાની મુલાકાતે ગયો હતો. ત્યાં છત્રપતિ શિવાજી મહારાજના દર્શન કરીને ભાવુક બની ગયો હતો અને એવા ભાવાવેશમાં મેં આ ફોટોગ્રાફ ખેંચાવ્યો હતો. એનાથી લોકોની લાગણી દૂભાઇ હોવાનું મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે. હું આપ સૌની માફી માગું છું.

(5:01 pm IST)