Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અભિનેતા ચિરંજીવી સારજાનું 39 વર્ષની વયે નિધન: સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

શ્વાસો શ્વસની તકલીફ હતી : હાર્ટ એટેકથી નિધન થયું

મુંબઈ : વર્ષ 2020 કોઈ પણ રીતે લોકો માટે સારું રહ્યું નથી. પહેલા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સના નિધન થયા, હવે સાઉથ ઇન્ડસ્ટ્રીએ પણ તેના એક એક્ટરને ગુમાવી દીધો છે. અભિનેતાનું નામ ચિરંજીવી સારજા હતું. અભિનેતા માત્ર 39 વર્ષનો હતો. 7 જૂને, અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. અહેવાલો અનુસાર અભિનેતાને શ્વાસોચ્છ્વાસની તકલીફ હતી અને તેને બેંગ્લોરના જયનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાનું અહીં અવસાન થયું. તેમના મૃત્યુ પછી દક્ષિણ ઉદ્યોગ (સાઉથ ઇન્ડસ્ટ્રી) આઘાતમાં છે.

ચિરંજીવી સારજાના અવસાનથી તેમના ચાહકો અને ફિલ્મ જગતના સાથીદારો માટે મોટો આંચકો લાગ્યો છે. આટલી નાની ઉંમરે અભિનેતાના જવાથી બધાને દુ:ખ થાય છે અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અભિનેતા પરિણીત હતા અને તેની પત્નીનું નામ મેઘના રાજ છે. તે અભિનેતા ધ્રુવ સારજાના મોટા ભાઇ અને દક્ષિણ ભારતીય એક્શન કિંગ અર્જુન સારજાના ભત્રીજા હતા. તે કન્નડ સિનેમાના પીઢ અભિનેતા શક્તિ પ્રસાદના પૌત્ર હતા

(9:22 pm IST)