Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

કદી હાર માનવી નહિઃ ઇશિતા

જિંદગીની સફરમાં માણસ ઘણો અનુભવ કરે છે. સારો કે ખરાબ સમય પસાર થઇ જ જતો હોય છે. સોની ટીવીના શો વિઘ્નહર્તા ગણેશમાં મનસાદેવીનો રોલ નિભાવનારી ઇશિતાએ આ શોમાં કામ કરીને પોતાની જિંદગીમાં સોૈથી મોટી શીખ મેળવી છે. તે કહે છે કદી હાર માનવી જોઇએ નહિ, આપણા રસ્તામાં આવનારી દરેક મુશ્કેલીઓનો હિમતપુર્વક સામનો કરવો જોઇએ. આ શોમાં ભગવાન ગણેશની સલાહ પર મનસા ચંદ્રધરની મદદ કરવાનો નિર્ણયક રે છે. મનસા તેનો જીવ બચાવે છે છતાં અંધશ્રધ્ધાને કારણે ચંદ્રધર મનસાની દરેક મદદને અનદેખી કરે છે. તે પોતાના જીવનનો શ્રેય શિવને આપે છે. ઇશિતા કહે છે આ ટ્રેકમાં મનસા પોતાને દેવી તરીકે પુજવામાં આવે તેવી ઇચ્છા રાખે છે. આ માટે તેને એવું કામ કરવું પડશે કે લોકો તેને પુજે. આ માટે તે ભરપુર પ્રયાસો કરે છે. પણ તેમાં અનેક મુશિબતોનો સામનો કરવો પડે છે. અંતમાં તેને દેવીના રૂપમાં સન્માનિત કરવામાં આવે છે.

(10:22 am IST)