Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પાણિપતને પોતાની કારકિર્દીની સૌથી મહત્વની ફિલ્મ માને છે અર્જુન કપૂર

મુંબઇ: હોનહાર અભિનેતા અર્જુન કપૂરે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ પાણીપત મારી સૌથી ટફ અને સૌથી મહત્ત્વની ફિલ્મ છે એવું મને લાગે છે.આ ફિલ્મ જોધા અકબર અને લગાન જેવી ફિલ્મના ડાયરેક્ટર આશુતોષ ગોવારીકર બનાવી રહ્યા છે. એમાં અર્જુન કપૂર સાથે સિનિયર અભિનેતા સંજય દત્ત અને કૃતિ સનોન જેવા અન્ય મહત્ત્વના કલાકારો પણ ચમકી રહ્યાં છે. મરાઠા સામ્રાજ્યના રાજ પરિવારના યોદ્ધાએાએ અફઘાનિસ્તાનથી ચઢી આવેલા અહમદ શાહ અબદલ્લી સાથે કરેલા યુદ્ધની તવારીખ પાણીપતના યુદ્ધ તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. અબ્દલ્લી દગાફટકાથી આ યુદ્ધ જીત્યો હતો. અબ્દલ્લી સાથે બે ભારતીય સાથીદારો હતા જેમાં દોઆબના રોહિલ્લા અફઘાન અને અવધના નવાબ શુજા-ઉદ્-દૌલાનો સમાવેશ થયો હતો.અર્જુને ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા સંદેશામાં જણાવ્યા મુજબ 'હેપ્પી ન્યૂ યર... નવું શીખવા સમજવાનો સમય...૨૦૧૮ના છેલ્લા મહિનાથી પાળેલા પશુઓ, માતા પ્રકૃતિ અને રોજ નવા સૂર્યોદય સાથે સમય વીત્યો છે...પાણીપત ફિલ્મ શરૃ કરવા જઇ રહ્યો છું ત્યારે આ સૌથી દેદીપ્યમાન અને જાતવાન ગણાતા પશુ સાથે દોસ્તી કેળવતાં શીખી રહ્યો છું... રોજ સેટ પર નાનકડા બાળકની ઉત્તેજના સાથે જાઉં છું... આ કલા શીખવી એક પ્રકારની ચિકિત્સા હોય એવો અનુભવ થઇ રહ્યો છે... મારા રેસકોર્સ પરના શિક્ષકો અને માર્ગદર્શકોનો આભારી છું...'

(6:12 pm IST)