Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સંજય લીલા ભણસાલીની ફિલ્મને લઇને અજય દેવગણ અને ઋત્વિક રોશન વચ્ચે ડખ્ખો

મુંબઈ : સંજય લીલા ભણસાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના ફિલ્મમેકર છે અને તેમની સાથે કામ કરવા માટે ટોચના સ્ટાર્સ તત્પર હોય છે. સંજય લીલા ભણસાલીએ ભારે મહેનતથી પોતાના માટે આ સ્થાન બનાવ્યું છે. હાલમાં સંજય લીલા ભણસાલીએ સલમાન ખાન સ્ટારર ઇન્શાલ્લાહનું શૂટિંગ શરૂ કર્યા પછી એ ફિલ્મ બંધ કરી દીધી હતી અને પછી ગંગુબાઈ કાઠિયાવાડીની જાહેરાત કરી હતી જેમાં આલિયા ભટ્ટ લીડ રોલ ભજવશે.

ગંગુબાઈ કાઠિયાવાડી પછી સંજય લીલા ભણસાલીએ બૈજુ બાવરા પર ફિલ્મ બનાવશે. સંજય લીલા ભણસાલીએ થોડા સમય પહેલાં ઇચ્છા જાહેર કરી હતી કે બૈજુ બાવરા પર બિગ બજેટ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ છે અને હવે આ ઇચ્છા પુરી થઈ છે. મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે આ ફિલ્મ માટે પહેલાં રણવીર સિંહ સાથે વાત કરવામાં આવી હતી પણ તેણે ના પાડતા આ પ્રપોઝલ અજય પાસે ગઈ હતી. અજય આ ફિલ્મ કરવા માટે લગભગ તૈયાર હતો ત્યારે હવે સમાચાર આવ્યા છે કે આ ફિલ્મ માટે અજયને નહીં પણ હૃતિક રોશનને સાઇન કરવામાં આવ્યો છે. આમઆ ફિલ્મને કારણે અજય અને હૃતિકમાં મોટી અંટસ પડી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે બહુ ઓછા લોકોને ખબર હતી કે હૃતિક અને સંજય વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ગુપ્ત મુલાકાતો ચાલી રહી હતી. સંજયને હૃતિકનું કામ બહુ ગમે છે અને બંનેએ બે વર્ષ પહેલાં ગુઝારિશમાં સાથે કામ કર્યું હતું. સંજય અને હૃતિકે હાલમાં સાથે મળીને આ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસમાં આ વિશે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

(4:56 pm IST)