Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સુશાંત-શ્રધ્ધાની 'છિછોરે' રિલીઝ

નિર્માતા સાજીદ નડિયાદવાલા અને નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ 'છિછોરે' આજથી રિલીઝ થઇ છે. ફિલ્મમાં સંગીત પ્રિતમે આપ્યું છે.

સુશાંતસિંહ રાજપૂત, શ્રધ્ધા કપૂર, વરૂણ શર્મા, પ્રતિક બબ્બર, તાહીર રાજ ભસીન, નવિન પોલીશેટ્ટી, તુષાર પાંડે, રોહિત ચોૈહાન, સહર્ષ શુકલા, નૈનેશ નિલ સહિત અભિનીત કોમેડી ડ્રામા જોનરની આ ફિલ્મ ૧૪૩ મિનીટની લંબાઇ ધરાવે છે અને અંદાજીત ૭૦ કરોડના ખર્ચથી બની છે.  નિતેશ, પિયુષ ગુપ્ત અને નિખીલ મલ્હોત્રાએ કહાની લખી છે.  દંગલ જેવી બ્લોક બસ્ટર ફિલ્મનું નિર્દેશન કરી ચુકેલા નિતેશ તિવારીના આ ફિલ્મની કહાની સાત મિત્રોની છે. જે કોલેજના જમાનાના દોસ્ત હોય છે અને હવે ઉમરના મધ્ય પડાવમાં પહોંચ્યા છે. ભલે આ લોકોના રસ્તા હવે અલગ હોય, પણ દોસ્તી હજુ પણ અકબંધ છે. આ ગ્રુપના બે સદસ્ય અનિરૂધ્ધ (સુશાંતસિંહ) અને માયા (શ્રધ્ધા કપૂર) કહાનીના કેન્દ્રમાં છે. બધા મિત્રો આ બંને પાત્રોના દિકરા-દિકરીને કેવી રીતે બચાવે છે તે કહાનીનો સાર છે. ફિલ્મના સાત મુખ્ય પાત્રોના સ઼તાનો પણ તેના જેવા જ દેખાય છે. આ જોતાં બધા કલાકારોના ડબલ રોલ હોય તેવું પોસ્ટર જોતાં સમજાય છે. શ્રધ્ધાની સાહો ગયા અઠવાડીએ રિલીઝ થઇ હતી. આ શુક્રવારે આ બીજી ફિલ્મ આવી છે.

(10:20 am IST)