Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સોૈનો આભાર વ્યકત કર્યો પાર્થએ

અભિનેતા સુશાંતસિંહના મૃત્યુના આઘાતમાંથી હજુ પણ બોલીવૂડ બહાર આવી શકયું નથી. અનેક કલાકારો પોત પોતાની ડિપ્રેશનની વાતો રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં ટીવી કલાકાર સોૈમ્યા સેઠ, રોનિત રોય અને વિકાસ ગુપ્તાએ પોતાના ડિપ્રેશનની વાતો જણાવી હતી અને આપઘાતનો પ્રયાસ કર્યાનું પણ કબુલ કર્યુ હતું. ત્યાં હવે 'કસોૈટી જિંદગી કી' શોમાં અનુરાગનું પાત્ર ભજવી રહેલા પાર્થ સમથાને પણ કહ્યું છે કે પોતે ડિપ્રેશન સામે લડી ચુકયો છે. તેણે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને કહ્યું હતું કે હું એ લોકોનો આભારી છું જેઓ મારી સાથે ઉભા હતાં. મારા તમામ પ્રિયજન, મિત્રો, ચાહકોનો હું આભારી છું. મને સકારાત્મક માણસ બનાવવામાં મદદ કરવા બદલ સોૈનો ખુબ ખુબ આભાર. પાર્થએ કહ્યું હતું કે લોકડાઉનમાં હું ડિપ્રેશન અને દુઃખદ ક્ષણોનો શિકાર બન્યો હતો. પરંતુ મજબુત બનવાની અને આગળ વધવાની શકિત મળી હતી. હવે હું ફરીથી દુનિયાનો સામનો કરવા તૈયાર છું.  પાર્થની પોસ્ટ વાંચી હીના ખાને લખ્યું હતું કે તું એક રોકસ્ટાર છો. સારી બાબતો અને સારા કામ પર ધ્યાન કેન્દ્રીત કર. 

(9:47 am IST)