Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મને ક્યારેય કોરોના નહીં થાય કારણ કે મારા શરીરમાં યેશુ (ઇશુ)નું પવિત્ર લોહી છે, મારા ભાગની રસી કોઇ અન્યને આપી દેશો તો ચાલશેઃ રાખી સાવંત

નવી દિલ્હી: દેશના દરેક ભાગમાંથી કોરોનાના સતત કેસ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણથી અનેક લોકોના જીવ પણ જઈ રહ્યા છે. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના લોકો પણ સતત આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. ખરાબ સમાચારનો સીલસીલો સતત ચાલુ છે. આ બધા વચ્ચે બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેનો દાવો છે કે તેને કોરોના સંક્રમણ ક્યારેય નહીં થાય. રાખીએ આ માટે કારણ પણ જણાવ્યું છે.

નિક્કી માટે દુખ વ્યક્ત કર્યું

વાત જાણે એમ છે કે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ રાખી સાવંતનો એક વીડિયો શેર કર્યો જેમાં રાખી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને કોરોના સંક્રમણ અંગે વાત કરી રહી છે. રાખી એક કોફી શોપની બહાર ઊભી છે. તે નિક્કી તંબોલીના ભાઈના નિધન પર દુખ વ્યક્ત કરે છે. આ સાથે જ દેશના હાલ અંગે પણ રાખી વાત કરે છે. આ વાત કરતા રાખી જોરજોરથી રડવા પણ લાગે છે. તે સંભાવના શેઠના પપ્પા અંગે વાત કરે છે અને કહે છે કે તેમને બેડ મળી ગયો છે અને મારી જ્યાં જ્યાં પહોંચ છે, હું ત્યાં ફોન કરું છું.

રાખીએ કરી આ વાત

રાખી કહે છે કે 'હું ખુબ રડું છું. હું લાચાર છું. કઈ કરી શકતી નથી. મારે રસી મૂકાવી છે. પરંતુ મને રસી મળી રહી નથી. મારા ભાગની રસી કોઈ જરૂરિયાતવાળને મળી જાય. આગળ રાખી કહે છે કે, મને કોરોના થઈ શકે નહીં. મને ક્યારેય કોરોના નહીં થાય. કારણ કે મારા શરીરમાં યેશુ (ઈશુ) નું પવિત્ર લોહી છે. આથી મને અને મારા પરિવારને કોરોના થઈ શકે નહીં. મે બધી ખરાબ આદતો છોડી દીધી છે. થોડો ગુસ્સો કરું છું, તે પણ એક દિવસ છૂટી જશે. મે ભગવાનની સામે ખુદને સમર્પિત કરી દીધી છે. મારે ભગવાન તરફથી જીવવું છે. હાલાત જલદી સુધરી જાય, મારા ભાગની રસી કોઈ અન્યને મળી જશે તો પણ ચાલશે.'

હંમેશા ચર્ચામાં રહે છે રાખી

અત્રે જણાવવાનું કે રાખી સાવંત બિગ બોસ 14ના ઘરમાંથી પાછા ફર્યા બાદ સતત ચર્ચામાં રહે છે. ક્યારેક બજારમાં સ્પોટ થાય છે તો ક્યારેક લોકોને માસ્ક લગાવવા માટે ફટકાર લગાવતી જોવા મળે છે. હાલમાં રાખીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે શાક ખરીદતી જોવા મળી હતી.

(4:58 pm IST)