Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

યે જાદૂ હૈ જીન કા...બંધ થવાની વાતો વચ્ચે સિકવલની તૈયારી

ફિલ્મોની જેમ ટીવી સિરીયલોની સિકવલ પણ હવે બનવા માંડી છે. સ્ટાર પ્લસ પર આવી રહેલા શો 'યે જાદૂ હૈ જીન કા'ની પણ સિકવલ બનશે. ચર્ચા છે કે આ ફિકશન શો પરીઓની કહાની પરથી બનાવવામાં આવ્યો છે. શોમાં વિક્રમસિંહ ચોૈહાણ અને અદિતી શર્માના રોલ દર્શકોને પસંદ પડ્યા છે. ટીઆરપી (ટેલિવિઝન રેટીંગ પોઇન્ટ) પણ આ શોને સતત મળી રહ્યા છે. ચાર્ટમાં તે પહેલા પાંચ નંબરમાં સામેલ છે. આ શો બંધ કરવામાં આવશે તેવી ચર્ચા વહેતી થઇ રહી છે. તો બીજી તરફ એવી વાત પણ સામે આવી છે કે શોની સિકવલ બનાવવાની તૈયારી થઇ રહી છે. સિરીયલની લોકપ્રિયતાને ધ્યાને રાખીને નિર્માતાઓએ સિકવલ બનાવવાનો નિર્ણય લીધો હોવાનું ચર્ચાય છે. દર્શકોને ગમે તેવી કહાની પણ મેળવી લેવામાં આવી છે. સિકવલમાં અગાઉના શો કરતાં વધુ ગ્રાફિકસનો ઉપયોગ થશે. આ શોને પણ જબરદસ્ત હિટ બનાવવા ભરપુર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પહેલા ભાગની કહાની મૃણાલ ઝાએ લખી હતી. નિર્દેશન આતીફ ખાને કર્યુ હતું.

(10:08 am IST)