Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

તો લોકો થિએટરમાં આવશેઃ રકુલપ્રિત સિંહ

રકુલ પ્રિત સિંહની બે ફિલ્‍મો એટેક અને રનવે-૩૪ બોક્‍સ ઓફિસ પર કમાલ બચાવી શકી નહોતી. તાજેતરમાં ઓટીટી પર આવેલી કટપુતલીમાં પણ રકુલે અક્ષય કુમાર સાથે કામ કર્યુ છે. લોકોને આ ફિલ્‍મ ગમી હતી. રકુલ કહે છે હાલમાં બોલીવૂડનો ખરાબ સમય ચાલી રહ્યો છે પણ એ જતો રહેશે. હાલમાં નિર્માતઓએ કન્‍ટેન્‍ટમાં પરિવર્તન લાવવાની જરૂર છે. અમને આશા હતી કે અમારી ફિલ્‍મ સારુ પ્રદર્શન કરશે પણ હાલ સમય સારો નથી. હવે એ નક્કી કરવું અઘરુ બન્‍યું છે કે સિનેમાઘરોમાં શું ચાલશેઅને શું નહિ ચાલે. જે ફિલ્‍મ રિલીઝ થાય છે તે હિટ જવાની આશા તેની સાથે સંકળાયેલા દરેકને હોય છે. હવે સમય બદલાઇ રહ્યો છે અને તેની સાથે જોડાયેલા દર્શકોની પસંદ પણ બદલાઇ રહી છે. જો ફિલ્‍મ સારી હશે તો ચોક્કસથી લોકો થિએટરમાં જોવા આવશે જ. પણ હવે આપણે બદલાઇ જવું જરૂરી છે.

(10:45 am IST)