Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ફરી એકવાર દિલીપ સાહેબની તબિયત બગડી: હોસ્પિટલમાં ભરતી

મુંબઈ:બોલિવૂડના સિનિયર મોસ્ટ અભિનેતા અને હરતી ફરતી દંતકથા જેવા કલાકાર દિલીપ કુમાર અંતિમ શ્વાસો લઇ રહ્યા હોવાની વાતો બોલિવૂડમાં વહેતી થઇ હતી.હાલ દિલીપ કુમાર વાંદરા ઉપનગરની લીલાવતી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવરદાના દસમા દાયકામાં આ કલાકાર અત્યંત કૃશ થઇ ચૂક્યા છે. એમની પેઢીના  લગભગ બધા ટોચના કલાકારો વરસો પહેલાં સ્વર્ગસ્થ થઇ ચૂક્યા છે.દિલીપ કુમારના એક અત્યંત નિકટના દોસ્તે કહ્યંુ કે સાયરાબાનુના જીવનમાં દિલીપ કુમાર સિવાય કોઇ નથી એટલે એ કોઇ પણ ભોગે યુસુફસા'બને જીવંત રાખવા પોતાની તમામ બચત ખર્ચી રહ્યા છે. પરંતુ યુસુફસા'બ હવે તો સાયરાને પણ ઓળખતા નથી. એમની આંખો શૂન્ય વત્ થઇ ચૂકી છે. લાઇફ સેવિંગ મશીન દ્વારા એ ભલે જીવતં રહ્યા હોય, અમારી દ્રષ્ટિએ એ હવે હાજર નથી. ડૉક્ટરોએ પણ આશા મૂકી દીધી છે અને હાથ ખંખેરી નાખ્યા છે. સાહેબના મોટા ભાગના અવયવો નિષ્ક્રીય થઇ ચૂક્યા છે. પોતાની આસપાસની દુનિયા સાથેના એમના સંપર્કો સાવ તૂટી ચૂક્યા છે. હરવા ફરવાની તો વાત જવા દો. એ બોલી પણ શકતા નથી. દિલીપ કુમાર હાલ ૯૫ વર્ષના છે. એમને કોઇ સંતાન નથી. એટલે માત્ર સાયરા બાનુ એમની સાથે સતત હોય છે.

 

(4:51 pm IST)