Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ગોૈરવ અનુભવી રહ્યો છે અર્જૂન

અભિનેતા અર્જૂન કપૂર હવે આશુતોષ ગોવારિકરની ઐતિહાસિક વિષયની ફિલ્મ પાનીપત કરી રહ્યો છે. આ ફિલ્મમાં અર્જૂન મરાઠા યોધ્ધા સદાશિવરાવ ભાઉના રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મમાં અર્જૂન સાથે સંજય દત્ત અને ક્રિતી સેનન પણ મુખ્ય રોલમાં છે. આ રોલને ન્યાય આપવા અર્જૂન ભરપુર મહેનત કરી રહ્યો છે. પાત્રને ન્યાય આપવા જીમમાં સતત પરસેવો પાડી રહ્યો છે. અર્જૂને કહ્યું હતું કે આ ફિલ્મ જોઇને લોકો પાનીપતની લડાઇ વિશે ઘણું જાણી શકશે. હું આ ફિલ્મનો ભાગ બન્યો તે માટે હું ગોૈરવ અનુભવી રહ્યો છું.  અર્જૂને આશુતોષના પણ વખાણ કર્યા હતાં. તેણે કહ્યું હતું કે આશુતોષ અલગ જ પ્રકારના ફિલ્મમેકર છે, તેઓ મોટી કહાનીઓને મોટા પરદા પર લાવે છે. પાનીપત છઠ્ઠી ડિસેમ્બરે રિલીઝ થશે. સંજય દત્ત અફઘાનના રાજા અહેમદશા અબ્દાલીના રોલમાં છે. અર્જૂનની છેલ્લી ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ફલોપ રહી હતી. તેની સંદિપ ઓૈર પિન્કી ફરાર પણ બની રહી છે.

(10:02 am IST)