Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

કેટલાક લોકો કોઈ વિશે સારું નથી વિચારી શકતાઃ તાપસી પન્નુ

બે અભિનેત્રીઓ વચ્ચે ટ્વિટર વૉર : અનેક લોકો તેના સંઘર્ષોનો શ્રેય લઈ રહ્યા હોવાના કંગનાના તાપસી પર આક્ષેપ બાદ અભિનેત્રીનો વળતો પ્રહાર

મુંબઈ, તા. ૫ : કંગના રનૌતે તાપસી પન્નુ પર લગાવેલા આરોપની અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા કંગના રનૌતની સોશિયલ મીડિયા ટીમે શનિવારના રોજ તાપસી પન્નુ પર આરોપ લગાવ્યો કે, તે બીજાના સંઘર્ષોનો શ્રેય પોતે લઈ રહી છે. કંગનાની ટીમે ટ્વીટમાં લખ્યું છે કે, કંગનાએ શરૂ કરેલા મુહિમને રોકવા માટે ઘણા બહારના લોકો નિયમિતપણે પ્રયાસ કરી રહ્યાં છે, તેઓ મૂવી માફિયાના સારી બુકમાં રહેવા ઇચ્છે છે, તેમને કંગના પર હુમલો કરવા બદલ મૂવીઝ અને એવોર્ડ મળે છે અને તે મહિલાઓને જાહેરમાં ત્રાસ આપે છે, શરમજનક છે એ તાપસી, તમે તેના સંઘર્ષોનો શ્રેય લઈ રહ્યાં છો'  તેના જવાબમાં અભિનેત્રી તાપસીએ લખ્યું કે, 'મેં મારા જીવનની કેટલીક બાબતોનું પાલન કર્યું છે, ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનામાં. જેનાથી મને જીવનને વધુ સારી રીતે જોવા મદદ મળી. તેનાથી મને ખૂબ જ શાંતિ મળી, જે હું શેર કરી રહી છું.' તાપસીએ આગળ લખ્યું, 'કડવા લોકો, ભગવાન તેમને પ્રેમ કરે છે અને અમે તેજ ઇચ્છીએ છીએ. અમુક લોકો કોઈ વ્યક્તિ વિશે સારું નથી વિચારી શકતા, કારણકે તે પોતાને પણ પ્રેમ નથી કરતા, તેમની સાથે સારી રીતે વર્તન કરો અને ભગવાન પાસે તેમની પરિપક્વતા માટે પ્રાર્થના કરો.'

(7:53 pm IST)