Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કુનાલ કોહલીએ રામાયણ પર આધારિત ફિલ્મ બનાવાનો નિર્ણય લીધો

મુંબઈ:આમિર ખાનની 'મહાભારત ફિલ્મની વાત ચર્ચાયા કરે છે. તેવામાં દિગ્દર્શક કુનાલ કોહલીએ રામાયણ પરઆધારિત ફિલ્મ બનાવાનો નિર્ણય લઇ લીધો છે. તે આ ફિલ્મનો નિર્માતા તેમજ દિગ્દર્શક બન્ને હશે. '' હું રામાયણ પરઆધારિત ફિલ્મ બનાવાની તૈયારીકરી રહ્યો છું. આ ફિલ્મને હુંજ પ્રોડયુસ કરવાનો છુંતેમજ ડાયરેક્ટ પણ હું જ કરીશ.હાલ હું મારી ફિલ્મ માટે નવોદિત કલાકારોને શોધી રહ્યો છું, તેમ કુનાલ કોહલીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. કહેવાય છે કે કુનાલકોહલી ફિલ્મની કાસ્ટિંગ પુરી કરતા જ સત્તાવાર ઘોષણા કરશે. કુનાલ લાંબા સમયથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. કુણાલના પ્રમાણે, ' હું આ ફિલ્મને એક એપિકની માફક જ બનાવાનો છું. હું આ ફિલ્મ માટે ઘણો ઉત્સાહિત છું તેમ કુનાલે વધુમાં જણાવ્યું હતું. ફિલ્મનું શૂટિંગ આ વરસે જ શરૃ થાય તેવી શક્યતા છે અને આવતા વરસે આ ફિલ્મને રીલિઝ કરવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કુણાલ કોહલીએ ૨૦૦૪માં હમ તુમ અને ૨૦૦૬માં ફના જેવી ફિલમો આપી છે.

(5:15 pm IST)