Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રૂસ્લાન મુમતાઝ બનશે જાદૂગરઃ નવા શો 'નિક્કી ઓૈર જાદૂઇ બબલ'માં મુખ્ય રોલ

મુંબઇ તા. ૫: ૫ીઢ અભિનેત્રી અંજના મુમતાઝનો પુત્ર અભિનેતા રૂસ્લાન મુમતાઝ નવા ટીવી શોમાં જાદૂગરના રોલમાં જોવા મળવાનો છે. રૂસ્લાન નવા શો થકી આકર્ષણ, દિલચશ્પ કહાની સાથેદર્શકોને આશ્ચર્યચકિત કરવા તૈયાર છે. જાદૂ, વિશ્વાસ અને બાળકો વિશેનો આ શો છે. દંગલ ચેનલ પર 'જાદૂઇ બબલ' નામનો શો શરૂ થવાનો છે. રૂસ્લાને કહ્યું હતું કે આ શો હેરી પોટર અને અન્ય ફેન્ટસી કહાનીઓની યાદ અપાવી દેશે. મને આવી કહાનીઓ ખુબ જ ગમે છે. આ કારણે જ હું આ શોમાં કામ કરવા રાજી થયો હતો. મેં પહેલીવાર નિક્કી અને જાદુઇ બબલની કહાની સાંભળી તો ખુબ જ દિલચશ્પ લાગી હતી. આ કહાની મારા અન્ય પાત્રો કરતાં તદ્દન અલગ છે. જે મારી અંદરના અભિનેતા માટે એક પડકાર છે. મને વિશ્વાસ છે કે દર્શકોને આ શો અત્યંત પસંદ પડશે. જાદૂગર અને જાદૂ વિશેનો આ એક કાલ્પનિક શો છે. હું આવા શોનો અનુભવ લેવા ઇચ્છુ છું.

રૂસ્લાને બોલીવૂડમાં ૨૦૦૭માં એમપી-થ્રી મેરા પહેલા પહેલા પ્યાર ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી.  છેલ્લે તે યે સાલી આશિકી અને રોમિયો ઇડિયટ દેશી જુલિયટમાં જોવા મળ્યો હતો.  વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ઝખ્મી અને ટીવી શો કહેતા હૈ દિલ જી લે જરા, એન્કાઉન્ટર, યે હૈ આશિકી, બાલીકા વધુ, લાલ ઇશ્ક, યે રિશ્તે હૈ પ્યાર કે સહિતમાં કામ કરી ચુકયો છે.

(3:08 pm IST)