Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

હવે તમિલ ભાષામાં રિલીઝ થશે આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'અંધાધુન'

મુંબઈ: અભિનેતા આયુષમાન ખુરાનાની હિટ ફિલ્મ અંધાધૂંધને તમિળ ભાષામાં ઊતારવાની ઇચ્છા આગેવાન તમિળ અભિનેતા સિદ્ધાર્થ સૂર્યાએ વ્યક્ત કરી હતી.લેટેસ્ટ માહિતી મુજબ આયુષમાને ફિલ્મના તમિળ વર્ઝન માટે હા પાડી હતી પરંતુ એવી શંકા વ્યક્ત કરી હતી કે અમારી હિન્દી  ફિલ્મ રહસ્ય ફિલ્મ હતી. હિન્દીમાં રજૂ થઇ ત્યારે રહસ્ય ખુલ્લું પડી ગયું હતું. તમિળમાં તમે રહસ્ય શી રીતે જાળવી રાખશો મુદ્દે હાલ સિદ્ધાર્થ પોતાના સ્ક્રીપ્ટ રાઇટર સાથે ચર્ચા કરી રહ્યો હોવાનું કહેવાય છે. આયુષમાને રજૂ કરેલો અભિપ્રાય વિચારવા જેવો છે એવું સિદ્ધાર્થ અને એના સ્ક્રીપ્ટ રાઇટર બંનેને ગળે ઊતર્યું છેહવે જોવાનું છે કે લોકો કઇ રીતે અંધાધૂંધની તમિળ આવૃત્તિની તૈયારી કરે છે. અંધાધૂંધ અને ત્યારબાદ રજૂ થયેલી બધાઇ હો ફિલ્મે રાતોરાત આયુષમાનને લિસ્ટના કલાકારોમાં ગોઠવી દીધો હતો.

(7:19 pm IST)