Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

મીડિયા પર આધારિત ફિલ્મ બનાવશે ઈમ્તિયાઝ અલી

મુંબઈ: બોલીવુડના જાણીતા નિર્દેશક ઈમ્તિયાઝ અલી મીડિયા પર આધારિત ફિલ્મ બનાવવાનો વિચાર કરી રહયા છે. ઈમ્તિયાઝ અલીએ કહ્યું કે મને લાગે છે કે રાજકુમાર હિરાણીએ ફિલ્મ સંજુમાં મીડિયામાં ઘણી બધી વાતો રજૂ કરી છે અને મારી પાસે આને લગતી એક કહાની છે જેના પર હું ટૂંક સમયમાં કામ શરૂ કરીશ

વધુમાં કહ્યું કે મને સારા પટકથા લેખકની જરૂરત છે જેને પહેલા એક પત્રકાર તરીકે કામ કર્યું હોય અને જે કહાનીને વધુ સારી રીતે લખી શકે. હું પત્રકારને લગતી કહાની પર ફિલ્મ બનાવવામાં માંગુ છું. મારી પાસે આગામી ફિલ્મો માટે ચાર કહાની છે. પણ હજુ સુધી નક્કી નથી કર્યું કઈ કહાની પર કામ શરૂ કરું.

(3:13 pm IST)