Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ફરી છવાશે કહાની ઘર ઘર કીનો જાદુ?

મુંબઇ, તા.૪: ઘર-ઘરમાં જાણીતી બનેલી એકતા કપૂરની સિરિયલ 'કહાની ઘર ઘર કી' ફરી બનાવવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. આ સિરિયલ દ્વારા સાક્ષી તનવર પણ ઘર-ઘરમાં જાણીતી બની હતી. આ સિરિયલે આઠ વર્ષ સુધી પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું હતું. આવી સિરિયલ આજના જમાનામાં જોવા મળવી  મુશ્કેલ છે. અઢાર વર્ષ બાદ આ સિરિયલનો જાદુ હવે ફરીથી છવાશે એવું લાગી રહ્યું છે. આ સિરિયલને ફરી બનાવવાની તૈયારી એકતા કપૂરે શરૂ કરી દીધી છે. બીજી તરફ આ સિરિયલમાં પાર્વતીના પાત્રમાં ફેમસ થયેલી સાક્ષી તનવર પણ એમાં દેખાશે. જોકે તે થોડા સમય માટે દેખાશે. આ સિરિયલમાં નવા ચહેરાઓને લાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

(3:43 pm IST)