Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

'દયાબેન' તરીકે કઇ અભિનેત્રી ફીટ બેસશે? ઓનલાઇન વોટીંગ દ્વારા નક્કી કરશે દર્શકો

'દયાભાભી'નું પાત્ર શોમાં જરૂર આવશે : અસીત મોદી

મુંબઇ તા. ૪ : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનની વાપસીને લઈને સસ્પેન્સ યથાવત્ છે. આ રોલ ભજવતી એકટ્રેસ દિશા વાકાણી દીકરીને જન્મ આપ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી શોમાંથી ગાયબ છે. ત્યારે હવે તે પરત ફરશે તેવી કોઈ પણ શકયતાને ન જોતા શોના પ્રોડ્યૂસર ઓનલાઈન વોટિંગ દ્વારા દર્શકોનો મત જાણશે કે તેઓ દયાબેન તરીકે કોને જોવા માગે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત મોદીએ ઝૂમ ટીવી સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે, અત્યારે દયાબેન વિશે બોલવું થોડું અઘરું છે. આ એક પ્રક્રિયા છે. હું ઓનલાઈન દર્શકો પાસેથી મત માગીશ કે તેઓ દયાબેનના રોલમાં કોને જોવા માગે છે.

અસિત મોદીએ કહ્યું કે, અમે જે પણ નિર્ણય લઈશું તેને દર્શકો પસંદ કરશે. જો કે આ માટે થોડો ટાઈમ છે. હજુ થોડા એપિસોડ દયાબેન વગર બતાવવા પડશે. જો કે હું એટલું ચોક્કસ કહીશ કે દયા ભાભી શોમાં જરૂર પરત ફરશે.

અસિત મોદીએ વાતચીતમાં કહ્યું કે, 'મને વિશ્વાસ છે કે અમે જે પણ નિર્ણય લઈશું, દર્શકો તેના પર વિશ્વાસ કરશે. જો કે હજુ કઈ નક્કી નથી. પરંતુ શકયતા કંઈ પણ હોય શકે છે. અમને સારા આર્ટિસ્ટ જોઈએ છે. દયા ભાભી સીરિયલની હીરોઈન છે. જો તે પરત ફરશે તો સોનામાં સુગંધ ભળશે'.

દિશા વાકાણીની વાપસી પર અસિત મોદીએ કહ્યું કે, 'હું તેમને પણ રિકવેસ્ટ કરૃં છું કે તે શોમાં પરત ફરે. અમારા દર્શકો પણ એમ જ ઈચ્છે છે. આ શો અમારો નહીં દર્શકોનો છે. અમારે આશા રાખવી જોઈએ, પરંતુ જો તે પરત ફરવા નથી માગતી તો શો મોટો છે. શો કોઈના માટે રોકાતો નથી.'

(11:53 am IST)