Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' માટે આમિર ખાન, ચારને નોટીસ

ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં મલ્લાહ સમુદાયને ખોટી રીતે સંબોધવા બદલ આ નોટીસ મોકલવામાં આવી છે

નવી દિલ્હી,તા. ૪: બોલીવુડ એકટર આમિર ખાન અને અન્ય ચાર લોકોને વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' સંબંધે નોટીસ જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જૌનપુર જિલ્લા ન્યાયધીશો ફરિયાદી હંસરાજ ચૌધરી દ્વારા દાખલ કરેલી અરજીની સમીક્ષા કરીને આમિર ખાન સહિત ચાર જણને નોટીસ જારી કરી છે. આગામી સુનાવણી આઠ એપ્રિલે કરવામાં આવશે.

ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં મલ્લાહ સમુદાયને ખોટી રીતે સંબોધવા બદલ આ નોટીસ મોકલવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે મલ્લાહ સમુદાયને ફિરંગી અને ઠગ રૂપે સંબોધવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં આમિર ખાનના પાત્રનું નામ ફિરંગી મલ્લાહ રાખવામાં આવ્યુ હતું.

વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' આઠ નવેમ્બર, ૨૦૧૮એ પ્રીમિયર શો થયો હતો. જેમાં સ્ટાર કાસ્ટ અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ, ફાતિમા સના શેખ અને મોહમ્મદ જિશાનની મુખ્ય ભૂમિકાઓમાં હતા. આ ફિલ્મમાં નિર્માતા આદિત ચોપડા હતા. આ ફિલ્મ સામે આરોપ હતા કે ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં મલ્લાહ જાતિને ફિરંગી અને ઠગ જેવા શબ્દથી સંબોધિત કરીને અપમાનિત કરવામાં આવી હતી. આ ફિલ્મ બોકસ ઓફિસ પર ફલોપ સાબિત થઇ હતી અને દર્શકોએ આ ફિલ્મો માટે પ્રતિકૂળ સમીક્ષા કરી હતી.

(9:58 am IST)