Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

એ નિર્ણય વિચારીને નહોતો લીધોઃ મનિત

ટીવી પરદાના સુપરહિટ શો કુંડલી ભાગ્યમાં મહત્વનો રોલ નિભાવી રહેલા અભિનેતા મનિત જોૈરાએ આ શો છોડી દેતાં ચાહકો અને નિર્માતાઓ ચોંકી ગયા હતાં. મનિત આ શોમાં ઋષભ લુથરાનો રોલ નિભાવી રહ્યો હતો. મનિત જોૈરાએ કહ્યું હતું કે ચાર વર્ષ પછી મેં કુંડલી ભાગ્ય જેવો હિટ શો છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. મેં આ મારા આ નિર્ણય માટે કોઇ વિચાર કર્યો નહોતો. આ એક અચાનક લેવાયેલુ પગલુ હતું. પ્રેમબંધન આ વર્ષે જ ખતમ થયા પછી હું કુંડલી ભાગ્ય સાથે વધુ ઉંડાણપુર્વક સામેલ થઇ ગયો હતો અને કંઇક વધુ સારું કરવાનું વિચાર્યુ હતું. પણ મને ધીમે ધીમે એવો અહેસાસ થતો ગયો હતો કે મેં મારા પાત્ર માટે બધુ જ આપી દીધું છે. મનિતે કહ્યું હતું કે મેં છેલ્લે વીસ મિનીટના લાંબા દ્રશ્યનું શુટીંગ કર્યુ હતું અને ત્યારપછી તરત જ નક્કી કરી લીધું હતું કે હવે મારી સફર અહિ ખતમ થઇ ગઇ છે. મારુ પાત્ર લંડન જઇ રહ્યું છે અને પછી પરત આવે છે એવું દેખાડવાનું હતું. પણ મેં શો છોડવાનું જ નક્કી કરી લીધું હતું.

(10:11 am IST)