Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

રજનીકાંતના ગુરુ દેવદાસ કનકલાનું 74 વર્ષે નિધન

મુંબઈ: સુપર સ્ટાર રજનીકાંત અને મેગાસ્ટાર ચિરંજીવી તેમજ રાજેન્દ્ર પ્રસાદનાં ગુરુ રહેલા પ્રસિદ્ધ હીરો અને નિર્દેશક દેવદાસ કનકલાનું શુક્રવારે અક કોર્પોરેટ હોસ્પિટલમાં નિધન થઈ ગયું. તે 74 વર્ષનાં હતા.આંધ પ્રદેશમાં જન્મેલા દેવદાસ મોટા ભાગે તેલુગુ ફિલ્મમાં જોવા મળતા હતા. રજનીકાંત સિવાય કેટલાય સુપર સ્ટાર તેમનાં શિષ્યો હતાં. બોલિવૂડમાં પણ દેવદાસનાં નિધન બાદ ઘેરા પ્રત્યઘાત પડ્યાં છે.ઉલ્લેખનીય છે કે હીરો રાજીવ કનકલા અને હીરોઈન શ્રી લક્ષ્મીનાં પિતા અને ટીવી એન્કર સુમા કનકલાનાં સસરા હતા. દેવદાસે હૈદરાબાદમાં એક અભિયન સ્કુલની પણ સ્થાપનાં કરી હતી.

(5:53 pm IST)