Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

બોલીવુડમાં મારો સૌથી સારો મિત્ર છે અર્જુન કપૂર: પરિણીતી ચોપરા

મુંબઈ: બોલીવુડ એકટ્રેસ પરિણીતિ ચોપડા એક એવી અભિનેત્રી છે જેણે પોતાની અભિનય ક્ષમતાને પુરવાર કરી બતાવી છે. દર્શકોને તેની ફિલ્મો ખુબ પસંદ આવે છે. પોતાના પાત્રો સાથે જાતજાતના પ્રયોગો કરે છે તેમજ બોલીવુડમાં તેની ફેશન સ્ટાઈલની પણ ચર્ચાઓ રહે છે. બોલીવુડ એકટ્રેસ પરિણીતિ ચોપડાએ જણાવ્યુ હતુ કે બોલીવુડમાં એક સાચા મિત્રને શોધવો જે દરેક સંજોગોમાં તમારી બાજુમાં ઉભો રહે તે મળવો મુશ્કેલ છે. આ બાબતમાં તે પોતાની જાતને ખુબજ નસીબદાર માને છે કેમકે તેની પાસે અર્જુન કપૂર જેવો મિત્ર છે. એક કાર્યક્રમમાં હાજર રહેલી આ અભિનેત્રીએ અર્જુન સાથે પોતાના સંબંધ અંગે ખુલીને વાત કરી હતી. પરીણીતિને જ્યારે અર્જુન સાથે તેના સંબંધ અંગે પુછવામાં આવ્યુ તો તેણે કહ્યુ, અમારી વચ્ચે ખુબજ સારી દોસ્તી છે. પરીણીતિએ કહ્યું કે, ” બોલીવુડમાં એક સારો મિત્ર મળવો મુશ્કેલ છે અને અર્જુન મારો એક ખુબજ સારો મિત્ર છે.” અર્જુન સાથે પોતાની ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી અંગે પરિણીતિએ કહ્યુ કે મારા ફોનમાં તમે જોશો તો તમને ખબર પડશે કે મારી ગેલેરીમાં 50થી વધારે સેલ્ફી પડી હોય છે જે અર્જુનની હોય છે. પરીણીતિ ચોપડા અને અર્જુન કપૂર ફિલ્મ ‘ઈશ્કબાજે’ અને ‘નમસ્તે ઈગ્લેંડ’માં સાથે કામ કરી ચુક્યા છે. બંને ફરી એકવાર ફિલ્મ ‘સંદીપ ઓર પિંકી ફરાર’માં નજર આવશે. ફિલ્મના પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે. પણ આ ફિલ્મની રિલીઝ ડેટને પાછળ ઠેલવવામાં આવી રહી છે. આ તમામ વચ્ચે આપણને એ પણ જાણવાની ઇચ્છા થાય કે શું પરિણીતિ અર્જુન અને મલાઈકાના લગ્નની ચર્ચાઓ અંગે જાણતી હતી? આ સવાલના જવાબમાં પરિણીતિ કહે છે કે મને નથી ખબર કે અર્જુન મલાઈકા લગ્ન કરી રહ્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએતો પરિણીતિ અમેરિકી ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિંદી રીમેકમાં નજર આવશે. આ સાથે તેની ‘જબરિયા જોડી’ તેમજ સાઈના નેહવાલની બાયોપિકમાં દેખાશે.

(5:30 pm IST)